Sunday 6 November 2011

In American University



 


અમેરિકાની સેટન હોલ યુનિવર્સિટીએ પોતાના અભ્યાસક્રમમાં ભારતના પવિત્ર ગ્રંથ ભગવદ ગીતાનો સમાવેશ કર્યો છે . યુનિવર્સિટીએ તેના દરેક છાત્ર માટે ગીતાનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે .

યુનિવર્સિટીનું માનવું છે કે છાત્રોને સમાજની નજીક લઈ જવા માટે ગીતાનું પઠન જરૂરી છે અને તેના જેવો શ્રેષ્ઠ માર્ગ બીજો કોઈ નથી . માહિતી યુનિવર્સિટીના સ્ટીલમેન બિઝનેસ સ્કૂલના પ્રોફેસર . ડી . અમરે આપી હતી હતી .

વર્ષ 1985 માં ન્યૂજર્સીમાં શરૂ થયેલી યુનિવર્સિટી એક સ્વાયત્ત કેથોલિક યુનિવર્સિટી છે . તેમ છતાં ત્યાં અભ્યાસ કરતા કુલ 10,800 છાત્રોમાંથી મોટાભાગના બિનખ્રિસ્તી છે .

યુનિવર્સિટીના છાત્રોમાં ભારતીયોની સંખ્યા વધારે છે . અંગે માહિતી આપતાં પ્રોફેસર અમરે જણાવ્યું હતું કે , યુનિવર્સિટીના કોર કોર્સ હેઠળ દરેક છાત્રો માટે કેટલોક અભ્યાસક્રમ ફરજીયાત હોય છે . જેનો અભ્યાસ દરેક છાત્રે કરવાનો રહે છે .

તેમણે ઉમેર્યું હતું કે , ગીતાનું જ્ઞાન સર્વોત્તમ સાધન છે . તેના મહત્વને ઓળખીને યુનિવર્સિટીએ તેનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે .


No comments:

Post a Comment